પ્રમુખશ્રીનુ નિવેદન

સર્વ પ્રથમ સમાજના વડીલો ભાઇ-બહેનો મિત્રો બાળકો સર્વને મારા અને નવયુગ પ્રજાપતિ સમાજના નમસ્કાર,જયશ્રી ક્રિષ્ણ, જય સ્વામી નારાયણ,જય પરમાત્મા.

શ્રી નવયુગ પ્રજાપતિ સાંસ્ક્રુતિક ભવનના અનેક ઉતાર ચઠાવ વચ્ચે પચ્ચીસ વર્ષ પુર્ણ કર્યા છે .માજી પ્રમુખશ્રી નારણભાઇ ઠાકોરભાઇ લાડ તથા તેમનુ ટ્રસ્ટી મંડળ અને સમાજના આગેવાનો તથા દાન આપનાર સર્વ કાર્યકરતા મિત્રોના પ્રયત્નથી આપણા સમાજ માટે એક થવાનુ પ્લેટફોર્મ પુરુ પાડયુ છે. સંસ્થાના વિકાસ માટે અમે સતત પ્ર્યત્નશિલ છીયે. અને એટલે જ એક વર્ષમા વિદ્યાર્થીઓને રહેવા માટે આશ્રમ બનાવી દીધુ છે.

આજે ખરેખર આપણા સમગ્ર સમાજનુ ચિત્ર બદલાય રહ્યુ છે. હુ આપણા સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તમારુ ધ્યાન દોરવા માંગુ છુ અને તમારા જરૂરિયાતમંદ ભાઇ બહેનોને દાન આપી મદદ કરવા માટે હૃદયથી વિનંતી કરુ છુ

“દાન તણા મહિમા થકી બે હૈયા હરણાય , સુખ પામે લેનારને દેનાર પુણ્ય કમાય “

તો દાન અવસ્ય નોંધાવશો એવી મારી સર્વને અપિલ છે.